ભારત બહાર કરેલા ગુનાને લગતો પુરાવો સ્વીકારવા બાબત - કલમ:૧૮૯

ભારત બહાર કરેલા ગુનાને લગતો પુરાવો સ્વીકારવા બાબત

ભારત બહારના પ્રદેશમાં થયેલો હોવાનો આક્ષેપ હોય તે ગુનાની કલમ ૧૮૮ની જોગવાઇઓ હેઠળ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી થઇ રહેલ હોય ત્યારે કેન્દ્ર સરકાર પોતાને યોગ્ય લાગે તો એવો આદેશ આપી શકશે કે તે માટેના ન્યાયીક અધિકારી સમક્ષ અથવા તે પ્રદેશમાંના કે તે માટેના ડિપ્લોમેટિક કે કોન્યુયુલર પ્રતીનિધિ સમક્ષ અપાયેલ જુબાની કે રજુ થયેલા દસ્તાવેજો જેને લગતા હોય તે બાબતો અંગે પુરાવો લેવા માટે જયારે એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરનાર કોટૅ કમિશન કાઢી શક્તિ હોય ત્યારે કોર્ટે એવી જુબાનીની કે રજુ થયેલા દસ્તાવેજોની નકલો પુરાવા તરીકે સ્વીકારવી જોઇશે